વિદેશમાં વધશે ભારતનું ગૌરવ,ઈઝરાયલમાં સ્થાપિત થશે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા
AI GENERATED IMAGE

ભારત અને ઈઝરાયલ વચ્ચેના રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે, પરંતુ હવે બંને દેશોના ઇતિહાસને જોડતાં એક ખૂબ જ ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં જ ઈઝરાયલની ધરતી પર મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને અદમ્ય સાહસના પ્રતીક એવા છત્રપતિ શિવાજી મહારાજની એક ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ સમાચાર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે કે આખરે ઈઝરાયલ અને યહૂદી સમુદાયને મહારાષ્ટ્રના મહાન યોદ્ધા શિવાજી મહારાજ સાથે શું સંબંધ હતો? ભારતનો સૌથી પ્રાચીન યહૂદી સમુદાય માનવામાં આવે છે. સેંકડો વર્ષો પહેલા જ્યારે આ લોકો ભારત આવ્યા ત્યારે તેમણે માત્ર મહારાષ્ટ્રને પોતાનું ઘર જ ન બનાવ્યું, પરંતુ ત્યાંની સ્થાનિક મરાઠી ભાષા, પહેરવેશ અને સંસ્કૃતિને પણ સંપૂર્ણપણે અપનાવી લીધી હતી. પોતાની ધાર્મિક યહૂદી ઓળખ જાળવી રાખવાની સાથે તેઓ રોજિંદા જીવનમાં મરાઠી રંગમાં રંગાઈ ગયા હતા. ઈઝરાયલમાં મૂર્તિ સ્થાપિત થવાનું મહત્ત્વભારતની આઝાદી અને ઈઝરાયલ દેશની સ્થાપના થયા પછી, મહારાષ્ટ્રના આ ‘બેને ઈઝરાયલ’ સમુદાયના મોટી સંખ્યામાં લોકો ઈઝરાયલ જઈને વસી ગયા હતા. જોકે, આજે પણ તેઓ પોતાને ‘મરાઠી યહૂદી’ કહે છે અને પોતાની માતૃભૂમિની જડોને ભૂલ્યા નથી. ઈઝરાયલમાં શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવી એ આ અતૂટ ઐતિહાસિક વફાદારી અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે સન્માન આપવા જેવું છે. આ પગલું દર્શાવે છે કે શિવાજી મહારાજની વિચારધારા અને તેમનું સ્વરાજ માત્ર ભારત પૂરતું મર્યાદિત ન હતું, પરંતુ તેમાં દેશ અને માટીને પ્રેમ કરનારી દરેક કોમ માટે સન્માનજનક સ્થાન હતું.