કચ્છમાં અપમૃત્યુના ચાર બનાવો

માંડવી પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે બિદડામાં રહેતા ૫૬ વર્ષીય મણિલાલ વાસુદેવભાઈ મારવાડા એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પત્નીના મૃત્યુ બાદ એકલવાયુ જીવન જીવતા મણિલાલ ભાઈ આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીજા બનાવમાં અંજાર પોલીસે કહ્યું હતું કે આંબાપર માં કાખુભાઈ જયસિંગભાઈ નાયક ઉમર વર્ષ પચ્ચીસ રહે આદિપુર એ વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો આ મામલામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ત્રીજા બનાવમાં અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય ચાંદની બેન દામજીભાઈ ખારવા એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળ જવાબદાર કારણો જાણવા તપાસ હાથ ધરી છે ચોથા બનાવમાં ગાંધીધામ પોલીસે કહ્યું હતું કે સથવારા કોલોનીમાં રહેતા દ્વારકાનાથ કિશોર નાથ ગોસ્વામી ઉંમર વર્ષ 45 કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસિડ પી લેતાં સારવાર અર્થે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે.