એક લાખથી વધુની લેણા બાકી ધરાવતા ૩૦૦ બાકીદારીને આજે સુધરાઈએ નોટીસ ફટકારી હતી. જો ૩ દિવસમાં લેણા ભરપાઈ નહીં કરે તો સીલીંગ તથા કનેકશન કાપવાની ચીમકી અપાઈ છે.મળતી માહિતી મુજબ રાજકોટથી આવેલા કડક વસુલાતના પગલ સ્થાનિક કક્ષાએ ચીફ ઓફીસરને પગલા ભરવાની ફરજ પડી છે. જે અનુસંધાને તગડી રકમ બાકી ધરાવતા કોમર્શીયલ મિલ્કત ધારકોને સાણસામાં લેવાયા છે. જેમાં ૩૦૦ બાકીદારીને ૩ દિવસમાં લેણા ભરપાઈ કરવાનું અલ્ટીમેટમ અપાયું છે. જો નાણા નહીં ભરાય ગટર અને પાણીના કનેકશન કાપવાની ચીમકી અપાઈ છે. અગાઉ આપેલી નોટીસ અનુસંધાને આજે ગણેશ હોટલનું પાણી કનેકશન કાપવામાં આવ્યું હતું . જ્યારે અન્યો મિલ્કતધારકો પાસેથી એક જ દિવસમાં ૧૨.૨૧ લાખની રકમની વસુલાત થઈ હતી