જિલ્લા મથક ભુજના હમીરસર તળાવ કાંઠે આવેલા રાજાશાહી સમયના જર્જરીત કૃષ્ણાજી પુલના સમારકામ મુદ્દે સુધરાઈ હજી કુંભકર્ણ નિંદ્રામાં હોય અને કોઈ દુર્ઘટના જોવાની રાહમાં હોય તેવું ચિત્ર ઉભી રહ્યું છે.અત્રે ઉલ્લેખનિય છે કે, બે માસ અગાઉ સામાન્યસભામાં કૃષ્ણાજી પુલની મરામતની મોટા મલાવડે જાહેરાતો કરવામાં આવી હતી જે સાવ પોકળ સાબિત થઈ રહી છે ગત શ્રાવણ માસમાં ઐતીહાસિક સરોવરના કાંઠે ભરાતા સાતમ-આઠમના મેળા સમયે જનમેદીથી હકડેઠઠ ગીર્દી વચ્ચે નાટકના ભાગરૂપે પાલિકા દ્વારા જર્જરીત દિવાલ પાસે પથ્થરની દિવાલ ચણાવી દેવાઈ અને સંતોષ માની લેવાયો છે. ત્યાર બાદ ર૬ જાન્યુઆરીના ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્નિવલ દરમિયાન આ બાબતે દુર્લક્ષ સેવવામાં આવ્યું માંડ મળતી સામાન્યસભામાં માત્રને માત્ર ઓન પેપર કૃષ્ણાજી પુલની મરંમત માટેના ઠરાવો થયા એવું કહેવુ અતિયોકીત નહીં લાગે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજાશાહી વખતના આ પુલના નીચેના ભાગમાં પીપળા ખરે છે તો સાઈડની દિવાલો ઉપર તો લાંબા સમયથી સળીયા પણ દેખાઈ આવ્યા છે. વર્ષોથી આ સ્થિતિ છતા પાલિકા દ્વારા માત્ર જાહેરાતો થાય ઠરાવો થાય પણ ટેન્ડરીંગની પણ પ્રક્રિયા હાથ નથી ધરાઈ.સતત રાહદારીઓ અને વાહનોથી ધમધમતા આ જર્જરીત પુલના સમારકામની કામગીરી માટે જવાબદાર તંત્ર ગંભીરતા સમજી આગળની કામગીરી હાથ ધરે તેમજ જવાબદારો દ્વારા સ્થળ પર હાજર રહી આ રાજાશાહી વખતના પુલની ગુણવતા સભર કામગીરી હાથ ધરાય તેવી લોક માંગ ઉઠી છે.