ગાંધીધામ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે હવે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે એક લાખથી વધુના મોટા બાકીદારો સામે કાર્યવાહી કરી છે આદિપુર ગાંધીધામમાં ગટર અને પાણીના જોડાણો કાપ્યા પછી પણ વેરો ભરવામાં ન આવતા નગરપાલિકાએ મિલકત જપ્તી માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.ગાંધીધામના સેક્ટર ત્રણ અને શહેરના મામલતદાર કચેરી રોડ આત્મારામ સર્કલ પાસે નહિ મોટી કપડાની દુકાન સહિત ચાર મોટા બાકીદારોને મિલકત જપ્તી માટે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે નગરપાલિકાની ટીમ વોરંટ ઈસ્યુ કરવા સ્થળ ઉપર પહોંચી ત્યારે એક દુકાનદાર પોતાની દુકાન મૂકીને ભાગી ગયો હતો નગરપાલિકાના કર્મચારીઓએ લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ દુકાનદાર પરત ન આવતા પાલિકાની ટીમ ક્યાંથી અન્ય જગ્યાએ મિલકત જપ્તી વોરંટ બજવણી કરવા નીકળી ગઈ હતી.ગાંધીધામ નગરપાલિકાનું વહીવટી તંત્ર ચાલુ નાણાકીય વર્ષનાં અંતિમ માર્ચ મહિનામાં વેરા વસૂલાત માટે ઊંધે માથે થયું છે અલગ અલગ ટીમો બનાવીને જોડીયા શહેરોમાં એક લાખથી વધુ રકમનો ટેક્સ બાકી હોય એવા મોટા બાકીદારોના ઘરે જઈને ટેક્સની વસૂલાત કરી રહી છે હવે મિલકત જપ્તી કરીને ટેક્સ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.ગાંધીધામ નગરપાલિકા ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ અનિલ જોશી જુનિયર એન્જીનીયર પ્રકાશ જુરાણી, ફુડ ઇન્સપેકટર આનંદ ઉદવાણી, સેનેટરી ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી મેલરીયા ઇસ્પેક્ટર કરણ કુમાર બાપટ, મેલરીયા સુપરવાઇઝર નટુભાઈ પ્રજાપતિ અને દબાણ વિભાગના બલરાજ ભાઈ પાતળીયા સહિતના અધિકારીઓ કર્મચારીઓની ટીમ દ્વારા ગાંધીધામમાં સેક્ટર ત્રણ અને અને આત્મારામ સર્કલ પાસે ની કપડાની દુકાન સહિત ચાર ને ટેક્સ વસૂલવા માટે મિલકત જપ્તીની નોટીસો વોરંટી ઈસ્યુ કરાયું હતું ત્રણ પૈકી એક કપડાં દુકાનદાર નગરપાલિકાની ટીમ દુકાનની અંદર આવતાની સાથે જ વેપારી દુકાન મૂકીને ભાગી ગયો હતો તેમણે મિલકત જપ્તી નું વોરંટ નો સ્વીકાર કર્યો નથી અને દુકાન મૂકી પોબારા ભણી હતી નગરપાલિકા ની ટિમ 13 મિલકતો મિલકતોની જપ્તી માટે વોરંટ લઈ ને બાકીદારોના દુકાન અને ઓફિસે પહોંચી છે.