અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની દક્ષ પ્રજાપતિ સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન પ્રેમજીભાઈ સોરઠીયા ઉંમર વર્ષ 58 ના પતિ ગુજરી ગયા બાદ સંયુક્ત મિલકત માં તેમના જેઠ માવજી વાલજી સોરઠીયા એ મેઘપર કુંભારડી ની સીમમાં આવેલી જમીન માં ચંદ્રિકાબેન સોરઠીયા ના સંતાનોની વારસાઈ નોંધ કરવાના બદલે તેમના જેઠ માવજી સોરઠીયાએ ખોટી સહિતના દસ્તાવેજના આધારે જમીન પચાવીને બારોબાર વેચી નાખી છે આ મામલો ધ્યાને આવતા ચંદ્રિકાબેન પ્રેમજી સોરઠીયાએ નોંધાવેલી ફરિયાદના આધારે તેમના જેઠ માવજી સોરઠીયા સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે