દુબઈથી કચ્છ આવેલા વેપારીમા કોરોનાના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી

મૂળ કચ્છનાને દુબઈથી આવેલા એક વેપારીમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા કચ્છનુ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું અને આ દર્દીને ભુજની હોસ્પિટલમાં સારવાર અર્થે રાખી સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે જે આજે રિપોર્ટ આવી ગયા બાદ આ અંગેની વિગતો બહાર આવશેદુબઈથી તાજેતરમાં જ કચ્છ આવેલા ૪૦ વર્ષીય વેપારી શરદી ઉધરસ અને તાવ જેવી બિમારીમાં સપડાયા હતા અને તેને કારણે કોરોના વાયરસના લક્ષણો દેખાતા પ્રાથમિક સારવાર સ્થાનિક કક્ષાની હોસ્પિટલમાં લીધા બાદ વધુ સારવાર માટે તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.આ દર્દીમાં કોરોના વાયરસના લક્ષણો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે ત્યારે જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે અને તેના સેમ્પલ લઈને અમદાવાદની બી. જી. મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આજે આવ્યા બાદ આ દર્દી કોરોના વાયરસમા સપડાયા છે કે કેમ તે બહાર આવશે જો કે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરી કોઈ ખોટી અફવા કે ગભરાવાની જરૂર નથી માત્ર સાવચેતી રાખી આ વાયરસ થી બચી શકાય છે એમ જણાવ્યું છે હાલમાં કોરોના વાયરસની અસરની આશંકા વ્યક્ત થઈ રહી છે તે દર્દીને આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે અને આજે રિપોર્ટ આવ્યા બાદ સરસ છે કે કેમ તેની જાણકારી મળી શકશે.