કચ્છ જિલ્લા ભાજપની બજેટ સમીક્ષા અંતર્ગત કાર્યશાળા યોજાઈ

ટાઉન હોલ મધ્યે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાજેતરમાં જ રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલા સર્વગ્રાહી લોક કલ્યાણકારી બજેટમાં સમાવિષ્ટ તમામ બાબતો પર પ્રકાશ ફેંકીને કાર્યકરોને આ બજેટની વિવિધ લાભકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચે એ અંગેનું વિશિષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લા ભાજપ પ્રમખ કેશુભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યા બાદ સો પ્રથમ વિજયભાઈ રૂપાણી અને નરેન્દ્રભાઈ મોદીની સરકારોને ઉતમ જન કલ્યાણકારી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વધમાં તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ સમાજના તમામ વર્ગ અને સ્તરના લોકોના વિકાસના દ્વાર ઉઘાડનારું બની રહયું છે. આ બંને બજેટના માઘ્યમથી ગજરાત સહિત રાષ્ટ્રના નાગરિકોને વિકાસપંથે ઉર્ઘ્વગતિ કરવામાં બન્ને સરકારો તરફથી પૂર્ણ મદદ પ્રાપ્ત થઈ છે. વધ્‌માં કેશુભાઈએ કેન્દ્ર સરકારના બજેટમાં સ્ત્રી પોષણ, આદિવાસી કલ્યાણ, એસ.સી. પછાત વર્ગ કલ્યાણ તેમજ સીનીયર સીટીઝનો માટે હજારો કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે તેને નોંધનીય બાબત ગણી કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત રાજય સરકારના બજેટમાં જળ જીવન મિશન અંતર્ગત ૧ દ લાખ નવા પાણીના જોડાણો તેમજ અશઘ્ધ જળના શુધ્ધિકરણ કરવા સહિતની અનેક યોજનાઓને તેમને ખૂબ નોંધપાત્ર ગણાવી હતી.
રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યં હતં કે, રાજય સરકારે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રૂ.૪૮૦ કરોડની ફાળવણી કર્યા ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે ઉત્તમ આતિથ્ય પુરું પાડવા ૪૫૦૦ યુવાનોને રૂ।.૨૦ કરોડના ખર્ચે પ્રવાસન સબંધિત વિવિધ અભ્યાસક્રમોનો સુસંગત અભ્યાસ કરાવવામાં આવશે. આ ઉપરાંત અગરીયા અને મીઠા ઉદ્યોગ માટે સોલાર પંપ સહિતની કલ્યાણકારી યોજનાઓ માટે રૂ।.૧૫ કરોડની ફાળવણી તેમજ અગરીયા પરિવારો માટે ખાસ રણ આંગણવાડીનો પ્રારંભ પણ આ બજેટના માધ્યમથી કરવામાં આવ્યો છે, આ ઉપરાંત પાંજળાપોળને અપડેટ કરવા માટે ર્‌।.૧૦૦ કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ.૧૭૮૧ કરોડ અને પાણી પુરવઠા માટે પણ ર્‌।.૪૦૧૭ કરોડની જોગવાઈ રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે તે બદલ તેમણે મખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો વિશેષપણે આભાર માન્યો હતો.
ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ રાજય સરકારને અભિનંદન આપતા જણાવ્યું હતું કે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નીતીનભાઈ પટેલે કચ્છના ચુંટાયેલા લોકપ્રતિનિધીઓની સામૃહિક રજૂઆતને માન આપીને કચ્છ માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાના અતિરિક્ત જળ માટે રૂ.૧૦૮૪ કરોડની મહત્વાકાંક્ષી યોજનાઓને આકાર આપતા સમગ્ર કચ્છની પ્રજાની લાગણીને વાચા આપી છે જે કચ્છના કિસાનો અને કુષિ ઉધોગ માટે ખૂબ આનંદના સમાચાર છે. ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા બજેટનું વિસ્તૃત પૂર્વક માર્ગદર્શન આપવા માટે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહયા હતા. ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા તેઓએ જણાવ્યં હતું કે, તાજેતરમાં જ કેન્દ્ર અને રાજયની