ગુજરાતમા કોરોના વાયરસના કેસોમા એક જ દિવસમા ચાર કેસનો વધારો થયો છે. જેમાં બે કેસ ગાંધીનગરમા બે કેસ સુરતમા નોંધાયા છે. જેના લીધે ગઈકાલે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા જે ગઈકાલે ૨૯ હતી તે વધીને ૩૩ એ પહોંચી છે. આ ઉપરાંત ગુજરાતના આરોગ્ય સચિવે કહ્યું કે કોરોના દર્દીઓની ઓળખ માટે રાજયમા સર્વે હાથ ધરવામા આવ્યો છે. જેમાં ૧૦ લાખ લોકોનો સર્વે હાથ ધરવામા આવ્યો છે. ગુજરાતમા અત્યારે ૧૧,૧૦૮ લોકો હોમ ક્વોરન્ટીન છે. તેમજ રાજયમા કુલ 2109 વેન્ટીલેટર પણ ઉપલબ્ધ છે. જયારે એન- ૯૫ અને સાદા માસ્ક પણ પુરતા જથ્થામાં છે.ગુજરાતમા કોરોના કેસનો આંકડો ૩૦એ પહોંચ્યો છે. તેમજ ગુજરાતમા આ કેસો વધવાની શકયતા છે. જેના પગલે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ લોકોને બિનજરૂરી બહાર ના નીકળવા અને જો લોકો કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરે. સીએમ રૂપાણીએ કહ્યું કે જ્યાં સુધી જીવન મરણનો સવાલ ના હોય ત્યાં સુધી બહાર ના નીકળવું જોઈએ તેમ જ આમ કરશો તો પસ્તાવાનો વારો આવશે.આ અંગે સીએમ રૂપાણીની અધ્યક્ષતામા હાઈ લેવલ કમિટીની બેઠક મળી હતી. જેના લીધે લોકોને ૩૧ માર્ચ સુધી ઘરમા પરિવાર સાથે રહેવા અપીલ કરી છે. તેમજ આ કોરોના સાથે લડાઈની શરૂઆત છે. આ બધા કેસો વધી રહ્યા છે. આપણને ખબર છે કે ન્ય્યુયોર્કમા એક જ દિવસમા ૫૦૦૦ કેસો વધ્યા છે. જેમાં ગઈકાલે કોરોનાના ૧૮ કેસ હતા કાલે જનતા કર્ફ્યું છતાં ૧૨ કેસો વધ્યા છે. તેથી તમે હવે ૧૦ દિવસ પછીની કલ્પના કરી લો. આ કેસ સતત બેવડાઈ રહ્યા છે.ગુજરાતણે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી લોકડાઉન કરવામા આવ્યું છે. જેમાં દવાઓના વેચાણ સિવાયની તમામ દુકાનો મોલ્સ બંધ રાખવા નો મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ નિર્ણય કર્યો છે. એસ.ટી બસ સેવાઓ તેમજ શહેરી પરિવહન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.આ ઉપરાંત કોરોના વાયરસ ના સંક્રમણ ને વધતું અટકાવવા અને પ્રજા વર્ગોની આરોગ્ય સલામતિ માટે મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ સમગ્ર રાજ્યમાં આગામી ૩૧ માર્ચ 2020 સુધી પેસેન્જર બસ સેવાઓ ટેક્ષી કેબ મેક્ષી કેબ ના સંચાલન ઉપર પ્રતિબંધ મૂક્યો છે.મુસાફરોના વહન થી આ વાયરસ નો ફેલાવો વધે નહિ તે હેતુસર આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.આ પ્રતિબંધ માલ વાહક વાહનો અંગત વપરાશ ના વાહનો આવશ્યક સેવાઓ માટેના વાહનો તેમજ સરકારી વાહનો અને કોરોના ચેપ નિયંત્રણ ની કામગીરી સાથે સંકળાયેલા વાહનો ને લાગુ પડશે નહિ.એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે