કચ્છ: માધાપરના સોની વૃદ્ધા થયા સ્વસ્થ, કોરોના બાદ સાજા થનાર કચ્છના પ્રથમ દર્દી, આજે ૨૫ રિપોર્ટ નેગેટિવ, ૩ વધુ સેમ્પલ લેવાયા

(ભુજ) માધાપરના કોરોનાગ્રસ્ત દર્દી હર્ષાબેન સોનીનો બીજો રિપોર્ટ આજે નેગેટિવ આવતા સૌએ તેમને શુભેચ્છાઓ સાથે હોસ્પિટલમાંથી રજા આપી હતી. ગઈકાલના ૨૯ રિપોર્ટ પૈકી ૨૫ નેગેટિવ આવ્યા છે. ૪ પેન્ડિંગ છે. આજે સાંજે ૫ વાગ્યા સુધી ૩ જણાના સેમ્પલ મોકલવામાં આવ્યા છે.