પીઢ અભિનેતા ઋષિ કપૂરનું નિધન, શ્વાસ લેવામાં હતી સમસ્યા

ફરફાન ખાન બાદ બીજા જ દિવસે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન થતાં બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઋષિ કપૂરના નિધનની વાત સાંભળતાં જ અમિતાભ બચ્ચને ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર 2018થી કેન્સરથી પીડિત હતા. ગઈ કાલે તેમની હાલત ખરાબ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ વાતની પુષ્ટિ રણધીર કપૂરે કરી હતી. જ્યારે આજે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બરના 1952માં થયો હતો.