સુરવાડી બ્રિજ પર ફેલાયેલી રેતીના કારણે સર્જાયો અકસ્માત, બાઇક ચાલક ઇજાગ્રસ્ત

copy image

અંકલેશ્વર ગડખોલ સુરવાડી ફાટક પર બનેલ રેલ્વે બ્રિજ પર સફાઈ બાદ ત્યાંજ માટી રેતી કાંપના ના વાળેલા ઢગલા લોકો માટે જોખમી બન્યા છે. ગત રોજ બ્રિજ પર ફેલાયેલી રેતી અને માટી ને લઈ બાઈક સવાર યુવક ની બાઈક સ્લીપ થઈ જતા યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી જેને 108 ની મદદ વડે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બ્રિજ પર ઠેર ઠેર રેતી અને માટી ના ઢગલા અને કચરાનો જથ્થો જોવા મળ્યો હતો ઉપરાંત બ્રિજ પર દારૂ ની ત્યજી દેવાયેલી થેલીઓનો જથ્થો જોવા મળ્યો હતો જે જોતા બ્રિજ પર રાત્રી ના દારુ ની મહેફિલ જામતી હોવાનું નકારી ન શકાય.

તો બ્રિજ નીચે પણ દારૂની બોટલ જોવા મળી હતી જે જોતા રાત્રી ના અસામાજિક તત્વો દ્વારા જાહેર માં દારૂ ની મહેફિલ યોજાઈ રહી હોવાની પ્રતીત થઈ રહ્યું ચ્હે તો લોકો પણ આ વિશે પુષ્ટિ કરી રહ્યા છે. બ્રિજ ની સફાઈ તેમજ નિભાવન કરવા જવાબદારી પંચાયત, પાલિકા , માર્ગ અને મકાન વિભાગ કે પછી બ્રિજ ના ઇજારદાર ની છે તે જ સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ વિભાગ દ્વારા રાત્રી ના પણ અહીં પેટ્રોલિંગ વધારવામાં આવે એ પણ જરૂરી છે. તેમજ ત્વરિત સફાઈ કરવામાં આવે તેવી માંગણી વાહન ચાલકો કરી રહ્યા છે.