કોંગ્રેસે આપેલા બંધના એલાનને કચ્છના ભુજ, નખત્રાણા, ગાંધીધામ અને મુન્દ્રામાં મળ્યો મિશ્ર પ્રતિસાદ

copy image

દેશમાં વ્યાપકપણે વધી ગયેલી મોંઘવારીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા આજે શનિવારે બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના તમામ સ્થળે બજારો બંધ રાખવા વેપારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે કચ્છમાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા બંધમાં જોડાવવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. જેના અંતર્ગત જિલ્લા મથક ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ શહેરની બજારોમાં ફરી દુકાનદારોને બંધમાં સહભાગી થવા અપીલ કરતા નજરે થયા હતા. જ્યાં વિવિધ બજારના વેપારીઓએ અપીલને માન આપી દુકાનો બંધ રાખતા મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. નખત્રાણામાં પણ અમુક દુકાનો બંધ રહી હતી. તો મુન્દ્રામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો. મુન્દ્રામાં બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના નગરસેવકે વેપારીઓને ચીમકી આપતા કહ્યું કે, અત્યારે ભલે તમે સમર્થન ન આપો પણ જ્યારે અમારી સતા આવશે ત્યારે અમે જોઈ લેશું.

જિલ્લાના દસ તાલુકા મથક પૈકી જિલ્લા મથક ભુજમાં કોંગ્રેસ પ્રેરિત બંધને મહત્વની બજારોએ બંધ રાખી સફળ બનાવ્યો હોવાનો દાવો કોંગ્રેસ પક્ષ દ્વારા કરાયો હતો. પક્ષના કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે શહેરના અનમ રિંગ રોડ, સ્ટેશન રોડ, ન્યુ સ્ટેશન રોડ, મહેરલી ચોક અને છઠ્ઠી બારી રિંગ રોડ પરની દુકાનો બંધ રહી હતી. મોબાઈલ એસો. રીક્ષા એસો. વગેરે વેપારી મંડળ દ્વારા પક્ષને ટેકો આપવામાં આવ્યો હતો. બંધને સફળ બનાવવા કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા, કાસમ સમાં, હાસમ સમાં, આદમ ચાકી, જયદેવ ગઢવી, ઈલિયાસભાઈ, અંજલિ ગોર સહિતના અગ્રણીઓ દ્વારા બંધમાં જોડાવવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી અને વેપારીઓ દ્વારા પૂર્ણ રૂપે રીતે સાથ આપવામાં આવ્યો હતો.

જિલ્લાના તાલુકા મથક રાપર, ભચાઉ, અંજાર, માંડવી નગરમાં બજારો રાબેતા અનુસાર ખુલ્લી રહી હતી. અહીં બંધની કોઈ અસર જોવા મળી નહિ. લખપતના વડા મથક દયાપરમાં પણ બજારો ખુલી રહી તો અબડાસાના વડા મથક નલિયા મધ્યે વેપારી મંડળના નિયમાનુસાર એક વેપારીના અવસાનના પગલે બપોરના 12 વાગ્યા સુધી બજારો બંધ રહી હતી. કોંગ્રેસ બંધ વિશે વેપારીઓએ અજાણતા દેખાવાઈ હતી.

ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગાંધીધામ શહેર વેપારીઓ અને પોતાના ધંધા બંધ કરીને સંપૂર્ણ રીતે સહકાર આપ્યો ચ્હે કારણ કે મોંઘવારીથી ગરીબ મધ્યમ વર્ગ અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બહેનોને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બને છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ બાબતે લડત અપાઇ છે. ગાંધીધામના વેપારીઓ દુકાનો બંધ કરી તે બદલ કોંગ્રેસ પાર્ટી દ્વારા સર્વે વેપારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ સંજયભાઈ ગાંધી, તાલુકા પ્રમુખ ગનીભાઈ માજોઠી, માજી ધારાસભ્ય વાલજીભાઈ દનિચા, નરેશભાઈ પહેલવાન, શેરબાનુ ખલીફા, અમૃતા દાસ ગુપ્તા, રાધા સિંહ ચૌધરી, ઉમાબેન સેની, જ્યોતિબેન બાલાસા, કોકીલાબેન ઘેડા, બિંદુબેન યાદવ, ભરતભાઈ સોલંકી, ગોવિંદભાઈ દનિચા, હિતેશભાઈ લાલણ, જગદીશભાઈ ગઢવી, અમિતભાઈ ચાવડા, ખીમજીભાઈ થારૂ, કપિલભાઈ પાંધી, દશરથસિંહ ખેંગારોત, વિપુલભાઈ મહેતા, નવીનભાઈ અબચુગ, પરબતભાઈ ખટાણા, ભાવનાબેન ભાટી, સુમનબેન ટાક, મનીષભાઈ ભાટીયા,અબેઝ ભાઈ યેશુદાસ, અરૂણભાઇ હાલાણી, ધનરાજસિંહ ખલાસા, એસ.કે રાણા, આર એલ નાગવાડીયા, સિકંદર રાય કિરીટભાઈ વણકર વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા તેમ ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી લતીફ ખલીફા દ્વ્રારા જણાવવામાં આવ્યું.