ધ્રાંગધ્રાના કુડા ગામના ખેડૂતે કર્યું આપઘાત: વ્યાજખોરના ત્રાસથી ગળેફાંસો ખાઈ જીવન ડોર ટૂંકાવી

ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામમાં રહેતા એક ખેડૂતો વ્યાજખોરના ત્રાસથી કંટાડી ગળેફાંસો ખાઈઆપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકે વ્યાજખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા પછી મુદલ સહિત પાછા કરી દીધા હોવા છતા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા ખેડૂતે આ પગલું ભર્યા હોવાની તેમના પુત્ર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના જેરામભાઈએ વ્યાજખોરો પાસે રૂપિયા 40,000 લીધા હતા. ત્યારે 40,000  રૂપિયા અને વ્યાજ પાછા આપવા છતાં સામેની વ્યક્તિની ઉઘરાણી ચાલુ રહેતા કંટાડી અને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધી હોવાના આરોપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

મૃતકના પુત્ર પરેશ જેરામ દ્વારા ધ્રાંગધ્રા પોલીસ મથકમાં ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે. ત્યારે આરોપી તરીકે ભગવાન જીવાભાઇ દલવાડીનું અને અન્ય ત્રણ ઇસમો તેની સાથે હોવાનું જણાવાયુ છે ઉપરાંત ફરિયાદમાં એવું જણાવવામાં આવ્યું છે કે, અવારનવાર નાણા આપ્યા છતાં પણ મારા પિતા પાસે નાણાંની ઉઘરાણી કરી અને મનફાવે તેવા શબ્દો કહી માનસિક ટેન્શન આપતા હોવાનુ જણાવ્યું. અને નાણા પાછા ન કરે તો તેની વાડી લખી આપવાની ધાકધમકી આપવામાં આવતી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યા છે. હાલમાં ભગવાન જીવા દલવાડી અને અન્ય ત્રણ શખ્શો સામે ધ્રાંગધ્રા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.