માધાપરમાં મકાન-પ્લોટના નામથી કરી 5.78 લાખની છેતરપિંડી

માધાપરના પાશ્વનાથ કોમ્પલેક્ષમાં મકાન-પ્લોટ આપવાનું કહી ભુજના ઇસમે અંજારના મેઘપર કુંભારડી, કાળિતલાવડી અને ભુજના યુવકો પાસેથી રૂપિયા 5 લાખ 78 હજાર પડાવી મકાન કે, પ્લોટ ન આપી ઠગાઇ કરતાં આરોપી વિરૂધ માધાપર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે.

અંજારના મેઘપર કુંભારડી મધ્યે મેઘમાયા સોસાયટીમાં રહેતા હિતેશભાઇ દેવજીભાઇ ગેડા (મહેશ્વરી)ની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, ઘટના ગત 2021ના ઓગસ્ટ માસથી 6 જુન 2022 દરમિયાન બની હતી .

ભુજના નાના કંસારા બજારમાં રહેતા ભાવેશ પ્રભુભાઇ પ્રજાપતિ નામના ઇસમે ફરિયાદી અને કાળિતલાવડીના ભરતભાઇ કરશનભાઇ મહેશ્વરી તેમજ ભુજના રાવલવાડી મધ્યે રહેતા પ્રકાસ કાનજીભાઇ વારસુ નામના ત્રણ લોકોને માધાપર મધ્યે પાશ્વનાથ કોમ્પલેક્ષમાં મકાન તેમજ પ્લોટ આપવાની લાલચ આપીને રૂપિયા 5 લાખ 78 હજાર મેળવી લીધા પછી આરોપીએ મકાન કે પ્લોટ ન આપી ફરિયાદી સહિતનાઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે.માધાપર પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.​​​​​​​