અંજાર વોર્ડ નંબર 1 ના મતિયા નગરના રહેવાસીઓ ઉભરતી ગટરથી પરેશાન વિપક્ષે પાલિકાને ઘેરાવ કરવાની ચીમકી આપી


અંજાર વોર્ડ નંબર 1ના મતિયા નગરમાં ગટરના પાણી ઉભરાતાં નજરે પડ્યા હતા. આ ઉભરાતા ઘટના પાણીથી ત્યાના રહેવાસીઓ ખૂબ જ પરેશાન થઈ ગયા છે. ઘણા લાંબા સમયથી વોર્ડ નંબર 1ના મતિયા નગરની અંદર ગટરો ઉભરાતી નજરે જોવા મળી રહી છે. હવે તો આ ઉભરાતી ઘટના પાણી લોકોના ઘરમાં જાય છે અને લોકો પોતાના ઘરમાં બેસી પણ નથી શકતા એટલું આ ગટરનું પાણી દુર્ગંધ મારે છે તો ન છૂટકે હવે સ્થાને કો વિપક્ષના શરણે ગયા છે, જેથી વિપક્ષ દ્વારા નગરપાલિકાનો ઘેરાવ કરવાનો વારો આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. મતિયા નગર ના રહેવાસીઓ દ્વારા અવારનવાર અંજાર નગરપાલિકામાં ઉભરાતાં પાણી વિશે ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી ઉભરાતી ગટરના કારણે મચ્છરનો ઉપદ્રવ્ય વધી ગયો છે જેના લીધે મેલેરીયા ડેન્ગ્યુ જેવો ભય સતાવી રહ્યો છે ત્યારે ન છૂટકે મતિયા નગરના રહેવાસીઓને વિપક્ષનો સહારો લેવો પડ્યો છે