સી.બી.આઈ દ્વારાકેન્દ્ર સરકારના કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે ભુજ સર્કિટ હાઉસ ખાતે બે દિવસીય કેમ્પનું આયોજન

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનની યાદીમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે કચ્છ જિલ્લાના ભુજ સર્કિટ હાઉસ ખાતે તા. ૫ અને ૬ નવેમ્બર- ૨૦૨૨ દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય કેમ્પ દરમિયાન નાગરિકો કેન્દ્ર સરકારના કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર સંબધિત ફરિયાદ સવારના ૧૦:૦૦ થી સાંજના ૬:૦૦ કલાક સુધી રૂબરૂમાં આપી શકશે. વધુ માહિતી માટે નાગરિકોએ સી.બી.આઈ., એ.સી.બી.ની કચેરી, કર્મયોગી ભવનની સામે, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર, ટેલિફોન નં. ૦૭૯-૨૩૨૩૪૩૦૧/૨૩૨૩૩૨૧૧, ૯૯૭૮૯૪૨૫૦૧ ઉપર સંપર્ક કરવાનો રહેશે.