રણમલપુર નજીક કોલસી ભરેલા ટ્રેલરે ટ્રેક્ટરને ટક્કરે લેતાં આધેડનું મૃત્યુ નીપજયું

સાંતલપુર તાલુકાના રણમલપુર પાટિયા પાસે ટ્રેલર ચાલકે ટ્રેક્ટરને ઠોકર મારતાં ટ્રેક્ટરમાં સવાર આધેડનું મૃત્યુ થયું હતું. એકને ઈજા થઈ હતી. સાંતલપુર તાલુકાના રણમલપુર પાટિયા નજીક ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉભુ રાખીને આધેડ વયના બંને મિત્રો કાંતિલાલ ઓઝા અને કુંવરજી જાડેજા સબંધીની રાહ જોતા હતા. સવારના પોણા દશ વાગ્યાના સમયગાળામાં આડેસર તરફથી પૂરપાટે આવી રહેલ ટ્રેલર ચાલકે ટ્રેક્ટરને ઠોકર મારતાં બંને વાહનો પલટી મારી ગયા હતા.ટ્રેક્ટરમાં કાંતિલાલ ઓઝાને સામાન્ય ઇજાઓ થઈ હતી. જ્યારે જાડેજા કુંવરજી કોલસી નીચે ફસાઈ જવાથી જેસીબી સહિત ક્રેનની મથામણ દબાદ બહાર કાઢ્યા હતા.

માથાના અને પગના ભાગમાં ઇજા પહોચતા એમ્બ્યુલન્સ દ્વારા સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી પલાયન થઈ ગયો હતો. અકસ્માતમાં રીફર કરવામાં આવેલ જાડેજા કુંવરજીને વધુ ઇજાઓ થઈ હોવાનું જણાતા વધુ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા તેમાં સાંતલપુરના સીધાડા પાસે પહોંચતા જ મોત થયું હતું. મૃતકનું સાંતલપુર રેફરલ હોસ્પિટલ પીએમ કરી લાશને વાલી વારસોને સોંપાઈ હતી. અકસ્માતમાં આધેડ વયના ઈસમનું મૃત્યુ થતા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો તથા ટ્રેલર ચાલક વિરુદ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.