હજીરા-ગોથાણ વચ્ચેથી પસાર થતા રેલવે ટ્રેકના 9 ક્રોસિંગ પર ફાટક જ ન હોવાથી કારણે 17 ગામના લોકો પર જીવનું જોખમ હોતા ફરિયાદ નોંધાઈ

copy image

હજીરા-ગોથાણ વચ્ચેથી પસાર થતા રેલવે ટ્રેક પર 9થી વધુ રેલવે ક્રોસિંગ પર ફાટક જ ન હોવાના લીધે 17 ગામોના ખેડૂતો અને ખેત મજૂરો જીવના જોખમે આવનજાવન કરી રહ્યા છે. આ રેલવે ક્રોસિંગ પર ફાટક મુકવા તથા કેબિન અને કર્મચારીઓની વ્યવસ્થા કરવા માટે સ્થાનિકોએ રેલ મંત્રીને ફરિયાદ કરી છે.

હજીરાની ક્રિભકો કંપનીમાં સામાનના અવરજવર માટે ક્રિભકોથી ગોથાણ વચ્ચે અંદાજે 30 કિલોમીટરની લાંબી ખાસ રેલવે ટ્રેક આવેલ છે. 17 ગામમાંથી પસાર થતી આ રેલવે લાઈનમાં 15 ક્રોસિંગ છે. જોકે, મોટાભાગના ક્રોસિંગ પર કોઈ કર્મચારીને ફરજ સોંપઈ પરંતુ સુરક્ષા કે વ્યવસ્થા કરવામાં આવી નથી. 9 ક્રોસિંગ તો એવા છે કે જ્યાં કોઈ ફાટક જ નથી તેમજ કર્મચારી પણ રહેતા નથી. 17 ગામોના ખેડૂતોના ખેતરો આ રેલવે ટ્રેકની બંને બાજુએ આવેલા છે.

ખેતરે જવા માટે રોજ ખેડૂતો તથા ખેત મજૂરો મળી 17000 જેટલા લોકો આ રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરે છે, આ ટ્રેન ગમે ત્યારે આવી જટી હોવાથી જોખમ રહે છે. ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત કંપનીને આ રેલવે ક્રોસિંગ પાસે લાઈનમેન મુકવા અને કેબિન આપવા માટેની માંગણી કરવામાં આવી છે. જોકે, કોઈ પગલા ભરવામાં ન આવતા હોવાથી છેવટે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરાઈ છે.