મગફળીના પાથરા ઉપાડતા મહિલાને સાપે દંશ દેતા સારવાર દરમિયાન મોત નીપજયું

જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં વસવાટ કરતા નિમુબેન રામાભાઈ મકવાણા(ઉ.વ. 27)નામના મહિલા પાસે આવેલા રામાભાઈ નારણભાઈ ચાવડા નામના ખેડૂતના ખેતરમાં મગફળી એકઠી કરવાનુ મજૂરીકામ કરી રહયા હતા.તે દરમિયાન સાંજે તેઓને મગફળીના પાકના નીચે બેસેલો સાપ કરડી જતાં સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા ત્યારે માર્ગમાં તબીયત અત્યંત ખરાબ થઈ જતાં ફરીથી ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેણીનું મોત નીપજયું હતું. આ ઘટનાની મોમૈયાભાઈ દેવશીભાઈ મકવાણાએ જાણ કરતા જામજોધપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.