જામનગરના દરેડ નજીક ભંગારના વાડામાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી

copy image

જામનગરના દરેડ નજીક ભંગારના વાડામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ચાર ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવ્યા પછી આગ ઓલવાઇ હતી. દૂર દૂરથી ધુમાડાના ગોટા દેખાવા લાગ્યા હતાં. આગ કયાં કારણોસર લાગી તે તપાસનો વિષય છે.

દરેડ પાસે આવેલા ભંગારના વાડામાં ગુરૂવારે બપોરે 3 વાગ્યાની આસપાસ અકસ્માતે આગ લાગી હતી. ભંગારના વાડામાં પ્લાસ્ટીક, સ્ટીલ સહિતનો ભંગાર પડયો હોવાથી આગે થોડીવારમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આથી દૂર દૂરથી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતાં. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા કવાયત હાથ ધરાઈ હતી. ચાર ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવ્યા પછી 3 કલાકના અંતે આગ ઓલવાઇ હતી. આગને લીધે ભંગાર બળી ગયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતાં.