ખેરગામમાં જમવા મુદ્દે પત્ની સાથે બોલાચાલી થયા બાદ પતિએકર્યો આપઘાત

ખેરગામ બંધાડ ફળિયામાં રહેતા એક પરિવારમાં જમવા મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની પિયર ચાલી ગઈ હતી. આ અંગે પતિને મનદુઃખ થતા તેમણે ઘરમાં જ રૂમની બંને બાજુની અભરાઇના લોખંડના પાઇપ ઉપર દોરી બાંધી ફાંસો લટકાવી આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ખેરગામ બંધાડ ફળિયામાં રહેતા સવિતાબેન ભીખુભાઈ પટેલે પોલીસ મથકમાં આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ ભીખુભાઈ સાથે જમવાની બાબતે બોલાચાલી થઈ હતી, ત્યારપછી તેણી પોતાના પિયર ચાલી ગઈ હતી.

આ અંગે તેમના પતિ ભીખુભાઈને મન દુઃખ થતા તેમણે પોતાના જ ઘરના રૂમની બંને બાજુની અભરાય ઉપર લોખંડનો પાઇપ મુકેલો ફોટો તેના ઉપર દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ભીખુભાઈની પત્ની સવિતાબેનની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો ચ્હે. ઘટનાની તપાસ હેડ કોન્સ્ટેબલ ગુણવંતભાઈ કરી રહ્યાં છે.