ખંભાળિયાનો દાતા ગામના યુવાનનો પાણીમાં ડૂબવાથી મોત નીપજયું

ખંભાળિયા તાલુકાના દાતા ગામમાં રહેતા જેસુર દુદા ગુજરીયા નામનો 35 વર્ષનો ચારણ યુવાન બપોરના સમયમાં દાતા ગામની સીમમાં ભેંસો ચરાવવા માટે ગયો હતો, ત્યાં અકસ્માતે તળાવના પાણીમાં પડી જવાના લીધે ડૂબી જવાથી તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ મૃતકના નાનાભાઈ ભાવકરણ દુદા ગુજરીયાએ અહીંની પોલીસને કરી હતી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.