વણાંકબારામાં મકાનમાં અચાનક રાત્રે આગ લાગતાં અગાશી પરથી કૂદકો લગાવી યુવકે જીવ બચાવ્યો

copy image

દિવના વણાકબારામાં મીઠી વાડી વિસ્તારમાં આવેલ રહેણાક વિસ્તારમાં જગાભાઈ રસોડામાં પલંગ પર સુતા હતા તે દરમિયાન રાત્રીના 12 વાગ્યાની વેળામાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી.આસપાસનાં લોકોએ પાણીની મોટર ચાલુ કરી આગ પર કાબૂ મેળવી લીધો તો જગાભાઈએ] ઘર નજીકની અગાશીમાંથી કુદી જીવ બચાવ્યો હતો.

સ્થાનિકોએ સમયસુચકતા વાપરી રસોડામાં પડેલ ગેસ સિલીન્ડર બહાર કાઢી લીધુ હતું. તેમ છતાં અનાજ ઘરની ચીજવસ્તુઓ બળીને ખાક થઈ જવા પામી હતી. જગાભાઈ ભાડાના મકાનમાં રહેતા અને માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમણે લાખોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ઘટનાને પગલે આગેવાનો દોડી પહોચ્યા હતા. અને સરકાર પાસે સહાયની માંગણી કરાઇ હતી.