કેશોદના રંગપુરમાં ખેતરમાં ટ્રેકટર ચલાવવાની ના પાડતાં યુવાન પર હુમલો, 2 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

કેશોદના રંગપુર ગામમાં રહેતાં એક યુવાને ખેતરમાં ટ્રેકટર ચલાવવાની ના પાડતાં બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા માર મારવામાં આવ્યો હતો. આ સમયે મહિલા વચ્ચે પડતાં તેમને પણ માર મરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો અને 2 ઈસમ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.

મળતી માહિત અનુસાર કેશોદ પંથકના રંગપુર ગામમાં રહેતાં વિજયભાઈ રામભાઈ બાબરીયાએ કેશોદ પોલીસ મથકમાં દાખલ કરાવેલ ફરિયાદ અનુસાર, વિજયભાઈ અને સ્નેહાબેન પોતાના ખેતરમાં કામ કરતા હતા તે દરમિયાન રામ દાનાભાઈ બાબરીયાએ વિજયભાઈને ખેતરમાંથી ટ્રેકટર ચલાવવાનું કહેતાં વિજયભાઈએ ના પાડી હતી જેથી સુખદેવ રામભાઈ બાબરીયા એકદમ ઉશ્કેરાઈ જય ગાળો ભાંડી ઝપાઝપી કરી અને સુખદેવે ઢીકાપાટુનો માર માર્યો હતો એ સમયે સ્નેહાબેન વચ્ચે પડતાં તેમને પણ મુઢમાર મરાયો હોવાથી આ બંને ઈસમ સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.