હળવદના ઘનશ્યામપુરથી ભલગામડા વચ્ચે બે બાઈક ટક્કરાતા અકસ્માત સર્જાયો: એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

હળવદના ઘનશ્યામપુરથી ભલગામડા જતા રોડ પર બે બાઈક ટક્કરાતા એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. તો અન્ય ત્રણને ઈજા થતાં તમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હળવદથી સરાના રસ્તે ઘનશ્યામપુર-ભલગામડા વચ્ચે 2 બાઈક ટક્કરાતા અકસ્માત થયો હતો. એકનું મોત નીપજયું તો ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી. ત્યારે અહીંથી પસાર થતા બી.કે આહીરે ઇજાગ્રસ્તોને હળવદ હોસ્પિટલ ખસેડાયા હતા તથા બજરંગ દળના કાર્યકરોને જાણ થતા હળવદ સિવિલ દોડી ગયા હતા. પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે.