Kutch

ગોલ્ડલોનના નામે ફાઈનાન્સ કંપની સાથે રૂા. 33 લાખની છેતરપિંડી

copy image માધાપરમાં રહેતી અને ભુજની એક્સિસ બેંકમાં નોકરી કરતી મહિલાએ ગિરવે મૂકેલા સોનાના દાગીના છોડાવી અન્ય બેન્કમાં ગિરવે મૂકવાના...

ખાવડામાં ફલોરિંગ મશીનમાં માથું ભટકાતાં યુવાનનું મોત

copy image ખાવડામાં ખાનગી કંપનીમાં ફલોરિંગ મશીનના હેલ્પર તરીકે કામ કરતા મધ્યપ્રદેશના યુવાનને કામ કરતી વખતે  તેનું માથું મશીન સાથે...

ખારીરોહરમાં વીજલોડ વિભાજનની કામગીરી કરવા ગયેલી વીજતંત્રની ટીમ ઉપર હુમલો 

copy image ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામમાં વીજલોડ વિભાજનનું કામ કરવા ગયેલી  વીજતંત્રની ટીમના બે લોકો ઉપર ચાર શખ્સોએ  હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે  ફરિયાદ  નોંધાઇ હતી. આદિપુર રામબાગ સબ ડિવિઝન પી.જી.વી.સી.એલ.ની ટીમ  સવારના આરસામાં  ખારીરોહર  ગામે વીજલોડ વિભાજનની કામગીરી કરવા માટે ગઇ હતી, જેમાં  ફરિયાદી  ડેપ્યુટી ઇજનેર   તથા જુનિયર ઇજનેર  કુંભારવાસમાં હતા, જ્યારે બે શખ્સ  અને ડ્રાઇવર મહાદેવ મંદિર ફળિયામાં વીજલોડ વિભાજન તથા મેન્ટેનન્સ  (રખરખાવ)ની  કામગીરી કરી રહ્યા હતા, ત્યારે ડ્રાઇવરએ ફરિયાદીને ફોન કરી એક શખ્સનાં...

આદિપુરમાં મકાનમાંથી એક લાખના શરાબના જથ્થા સાથે  શખ્સ ઝડપાયો

copy image આદિપુરમાં વોર્ડ 6-એ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે રૂા. 1,02,980ના અંગ્રેજી શરાબ સાથે એક શખ્સને  પકડી પડ્યો હતો ,પરંતુ આ જથ્થો  ક્યાંથી  આવ્યો હતો  તે બહાર આવ્યું ન હોતું . આદિપુરમાં વોર્ડ 6-એ વિસ્તારમાં મેઘપર બોરીચી બાગેશ્રી સોસાયટીના શખ્સે એક મકાનમાં દારૂ સંતાડયો હોવાની પૂર્વ  બાતમીના આધારે પોલીસે 6-એના પ્લોટ નં. 69માં કાર્યવાહી કરી હતી. આ મકાનનો  દરવાજો અડધો  ખુલ્લો હતો ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી અને...

કનૈયાબે પાસે ટ્રકના  હડફેટે આવતા આધેડનું મોત

copy image ભુજ તાલુકાના કનૈયાબે ગામ નજીક માર્ગ ઓળંગતી વખતે  પૂરપાટ જતી ટ્રક હડફેટે  શખ્સ નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. સૂત્રો દ્વારા મળતી  માહિતી મુજબ, ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર દુધઈ  તરફથી આવતા   ટ્રક  ચાલકે પૂરપાટ વાહન ચલાવી કનૈયાબે  ગામના  બસ સ્ટેશન  પાસેથી માર્ગ  ઓળંગતા શખ્સને ટક્કર મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત  થયા હતા.  તેમને  108 ...

વરસામેડી સીમમાં ખનિજનું ઉત્ખનન કરતાં શખ્સોને રોકવા જતાં ખાણ ખનિજ વિભાગની ટીમ ઊપર પથ્થરો વડે  હુમલો : ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાઈ

copy image અજારનાં વરસામેડી, વીડી તથા  ગાંધીધામના મીઠી રોહર, શિણાય વગેરે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખનિજોનું ઉત્ખનન થઇ  રહ્યું હોવાની ફરિયાદો ઊઠી હતી .તેવામાં ગત તા. 6-5ના અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં ગેરકાયદેસર  રીતે માટીનું ઉત્ખનન  કરતા  તત્ત્વોને રોકવા જતાં ખાણ ખનિજ વિભાગની ટીમ ઊપર છુટ્ટા  પથ્થરો વડે હુમલો કરી  કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં  ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ  મથકે ફરિયાદ નોંધાઇ હતી. ખાણ ખનિજ વિભાગની મદદનીશ નિયામક ફલાઇંગ  સ્કવોડની ટીમ   રાતના  આરસામાં  તપાસમાં  નીકળી હતી. આ વિભાગના માઇન્સ સુપરવાઇઝર એવા ફરિયાદી ...

ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર શખ્સો ઝડપાયા

copy image ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા ચાર  શખ્સને પકડી પાડી પોલીસે રોકડ રૂા. 5540 હસ્તગત  કર્યા હતા. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારના  ગરબી ચોકમાં  રાતના આરસામા  પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં પત્તા ટીંચવામાં આવી  રહ્યા હતા.તે  દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને શખ્સોને ઝડપી પાડયા હતા. જાહેરમાં જુગાર  રમતા અને  પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો  પાસેથી રોકડ રૂા. 5540 હસ્તગત કરવામાં આવ્યા હતા.

નરા-હાજીપીર સીમમાં જંગલ ખાતાંના ઊંડા ખાડા થકી લાખેણી 16 ભેંસનાં મોત

નખત્રાણા  મથકના અંતરિયાળ છેવાડાના લખપત તથા ભુજ તાલુકાની હદો નરા તથા હાજીપીરની  સીમમાં નરા પાસેના માલધારી આવાસોની ભચુવાંઢના પશુપાલક માલધારીઓની ગત તા. 5/5ના સીમમાં 41 ભેંસ ચરવા ગયેલી, તે પૈકી બીજા દિવસે તા. 6/5ના સવારે બધી ઘરે ભચુવાંઢ પરત આવી હતી, બાકીની 16 ભેંસ ન આવતાં ભેંસો ચોરાઇ ગઇ અથવા અન્ય ચાલી ગુમ થઇ ગયાના અનુમાનથી તેની તપાસના અંતે ગુમ થયેલ સદરહુ 16 ભેંસ એકસાથે  નરા-હાજીપીરના સીમાડામાં સર્જાયેલ મોટા ખાડામાં ભરાયેલા કાદવ-કીચડની ખાડીમાં ખૂંચી મૃત મળી હતી. આથી લાખોની કિંમતની ભેંસોના મોતથી માલધારી મુશ્કેલીમાં મુકાયા છે. નરા-હાજીપીર વિસ્તારમાં આવેલી ભચુવાંઢના માલધારી  એ ઘટના અંગે નરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ  ફરિયાદ અનુસાર પોતાની પાસેની 41 ભેંસ પૈકીની 29 ભેંસ પોતાની માલિકીની તેમજ 12 ભેંસ અન્ય માલધારીની ભાગીદારીમાં ચારવા રાખી હતી. તમામ ભેંસ તા. 5 મેના સાંજે ચરવા ગયેલી પૈકી બીજા દિવસે તા. 6/5ના 16 ભેંસ સિવાય બધી ભેંસ ઘરે પરત ફરી હતી, બાકીની ગુમ થયેલી 16 ભેંસની શોધખોળના અંતે  નરા-હાજીપીરના સીમાડાના ઊંડા ખાડામાં ફસાઇને મૃત મળી હતી. આમ, આ લાખેણી ભેંસોનાં મોતથી મુશ્કેલીમાં મુકાયેલા માલધારી  તથા અન્ય ભાગીદાર માલધારીઓએ નુકસાનીની તંત્ર તરફથી સહાય મળવા રજૂઆત કરી હતી.

ભીમાસરમાં  શંકાસ્પદ પેટ્રોલિયમનો  6.75 લાખનો જથ્થો ઝડપાયો

copy image ભીમાસર નજીક એક પ્લોટમાંથી પોલીસે 6,75,000ના શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના જથ્થા સાથે શખ્સને ઝડપી  પાડયો હતો. આ બનાવમાં માલ આપનારનું નામ બહાર આવ્યું હતું. .  પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ની ટીમે  ભીમાસર નજીક સર્વે નંબર 405 સોમનાથ એન્ટરપ્રાઇઝમાં કાર્યવાહી કરી હતી. આ પ્લોટમાં  ઊભેલા ટેન્કરના ચાર ખાનાંની તપાસ કરાતાં તેમાંથી રૂા. 6,75,000નો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મળી આવ્યો હતો. ટેન્કરના વાલ્વ બોક્સમાં હોર્સ પાઇપ, એક છેડે મીટર બોક્સ, નોઝલ, વાયર વગેરે લાગેલા હોવાનું બહાર આવ્યું હતું તેમજ અન્ય વાહનોમાં આ પદાર્થ ઇંધણ તરીકે ભરતી વખતે અહીં તેલ ઢોળાયું હોવાનું પણ જણાયું હતું. આ પ્લોટનો કબજો ધરાવનાર તથા માલનો કબજો ધરાવનારા ભીમાસરના  શખ્સની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે આ પદાર્થ  શખ્સને  વોટ્સએપ કોલ કરી આ માલ કંડલાના એસ.એસ.સી. ટર્નિનલમાંથી મગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ભારત સરકારના પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ મંત્રાલય, જી.પી.સી.બી.ના નાવાંધા પ્રમાણપત્ર, અગ્નિશમનનાં સાધનો ન રાખી, સ્ટોરેજ પરવાના વગેરે ન રાખી અહીં ગેરકાયદેસરનો ધંધો કરવાના આ પ્રકરણમાં પોલીસે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના નમૂના લઇ પૃથક્કરણ અર્થે મોકલાવ્યા હતા..પરંતુ પોલીસે જપ્ત કરેલા શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના પૃથક્કરણના રિપોર્ટમાં શું બહાર આવ્યું અને જે-તે પ્રકરણમાં શું પગલાં લેવામાં આવ્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી.