Kutch

કોટડા ગામમાં  નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતાં   શખ્સ ની ધરપકડ કરી રૂ11,150 નો મુદ્દામાલ કબ્જે કરાયો

copy image કોટડા ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતા ગામના જ  શખ્સ ને પદ્ધર પોલીસે ધરપકડ કરી  તેની પાસેથી માદક પ્રવાહીનો જથ્થો  કુલ રૂા. 11,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે હાજર ન મળેલા રાજકોટના યુવાનની  શોધ આદરી હતી. પોલીસે  દ્વારા માલ;ટી માહિતી અનુસાર , પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોટડાનો આરોપી  હેત એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં નશાયુક્ત પ્રવાહી બનાવી વેચાણ કરતો હતો. પોલીસે છાપો મારી  તેની પૂછપરછ કરતાં તે કોઈ આધાર-પુરાવા આપી શક્યો નહોતો. ગેરકાયદેસર નશાયુક્ત પ્રવાહી બનાવી તેનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી પ્રવૃત્તિ કરતા આ શખ્સની ધરપકડ  કરી તેના કબજામાં રહેલા પ્રવાહી ભરવાની 123 નંગ બોટલ કિ. રૂા. 6150, સેનેટાઈઝર તરીકે વપરાયેલા પ્રવાહીનો 500 એમએલનો જથ્થો, સાધન-સામગ્રી તથા મોબાઈલ ફોન કિ. રૂા. 5000 મળી કુલ  11,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાજર ન મળેલા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા...

મુંદરા સોપારી કાંડમાં પકડાયેલા આરોપીની જામીન અદાલતે નકારી

copy image મુંદરા સોપારી કાંડમાં પકડાયેલા એક પોલીસકર્મીએ રાજ્યની વડી અદાલતમાં જામીન ઉપર છૂટવા અરજી કરતાં તે અરજી નામંજૂર કરવામાં આવી હતી. મુંદરા સોપારીકાંડમાં તપાસ કરનાર ડી.વાય.એસ.પી.  અને તેમની ટીમે ફરારી જાહેર થયેલા ફરજમોકૂફની અટક કરી હતી. આ પોલીસકર્મી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી ભુજની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ હતી.  બાદમાં આરોપીએ રાજ્યની વડી  અદાલતમાં જામીન ઉપર છૂટવા અરજી કરી હતી, જ્યાં બંને પક્ષોને  સાંભળીને આ આરોપીના જામીન નકારી દેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં સસ્પેન્ડ બે પોલીસ કર્મચારી  ફરાર જાહેર થયા  અને હજુ પણ પોલીસની પકડમાં ન આવતા તેમને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અચાનક ટ્રેનની સામે આવી જતાં અંજારના 30 વર્ષીય યુવાનું મોત

ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા મળતી વિગતો અનુસાર , રાત્રિના અરસામાં આદિપુર રેલવે સ્ટેશન ખાતે લાઈન નં 2 ઉપર ગાંધીધામ...

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના ઘટી:MBA કરતાં યુવકનું મોત

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની ધૂત હાલતમાં નબીરાએ 2 એક્ટિવાને...

એક્ટિવા પર જતા નાના -દોહિત્રીને ટ્રેક્ટરે હડફેટમાં  લેતાં 11 વર્ષીય કિશોરીનું મોત

અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક પુષ્પ કોટેજ સોસાયટી પાસે એક્ટિવા પર જતા નાના -દોહિત્રીને ટ્રેક્ટરે હડફેટમાં લેતાં 11 વર્ષીય કિશોરીનું મોત નીપજયું હતું. . મેઘપર બોરીચીની આશાપુરા પાર્ક સોસાયટીમાં રહેનાર ફરિયાદી તેમના ઘરે હતા બપોરે ચાર વાગ્યાના અરસામાં દીકરી ફલકનો ટયૂશનનો સમય થતાં નાના ફરિયાદીનું એકિટવા લઈ અને પોતાની દોહિત્રીને   ટયૂશન મૂકવા જઈ રહ્યા હતા. . તેઓ પુષ્પ કોટેજ સોસાયટી નજીક પહોંચ્યા ત્યારે આગળ ટેન્કરવાળું ટ્રેકટર જઈ રહ્યું હતું. આ ટ્રેકટરને ઓવરટેક કરવા જતાં ટ્રેકટરના ચાલકે અચાનક પોતાનું વાહન એકિટવા તરફ દબાવતાં એક્ટિવાને અડી ગયું હતું. જેમાં એક્ટિવાની પાછળ બેઠેલી  બાળકીને ટેન્કર માથાંમાં અથડાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. બાળકીને સરવાર અંગે આદિપુરની હોસ્પિટલમાં ...

નખત્રાણામાં વ્યક્તિએ પાકમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું 

copy image નખત્રાણામાં  વ્યક્તિએ પાકમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.   તે વ્યક્તિ એ બપોરે ના આરસા મા પોતાની વાડીમાં પાકમાં છાંટવાની દવા પી જતાં તેમને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ  બાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર અપાઈ પરંતુ અંતે સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

લકવાની બીમારીથી પીડિત એક વૃદ્ધે કર્યો આપઘાત

copy image મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં લકવાની બીમારીથી પીડિત એક વૃદ્ધ  ઝાડમાં ગળેફાંસો  ખાઈ આપઘાત કરી  લીધો હતો.મુન્દ્રા  તાલુકાના નાના કપાયામાં વ્યક્તિ   છેલ્લા દસેક મહિનાથી લકવાની બીમારીથી પીડાતા હતા આ વચ્ચે  મધ્ય રાતથી સવાર સુધી તેમણે પોતાના ઘરની સામે ઝાડમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુન્દ્રા  પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આઠ વર્ષીય બાળક  ટ્રેકટરના ટાયર તળે કચડાતા કરૂણ મોત

 કેરા ગામે  અન્ય બાળકો સાથે રમી રહેલા આઠ વર્ષીય બાળક  ટ્રેકટરના ટાયર તળે કચડાઈ  જતાં કરૂણ મોત નીપજ્યું હતું .કેરાના કરૂણ બનાવ અંગે નલિયા પોલીસ મથકે મૃતક બાળકના પિતાએ નોંધાવેલી ફરીયાદ મુજબ  રાતે આઠ વાગ્યાના અરસામાં તેમનો પુત્ર ઘરની બહાર શેરીમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે ટ્રેકટર ચાલકે  ટ્રેકટર  પુરઝડપે-બેદરકારીથી ચલાવી ફરીયાદીના પુત્ર  ઉપર ચડાવી દેતાં ગંભીર ઈજાના પગલે બાળકનું  મોત નીપજ્યું હતું. ટ્રેકટર બાળકને અડફેટમાં લીધા બાદ દિવાલ સાથે ટકરાતાં દિવાલમાં બાકોરૂં થઈ ગયું હતું. ટ્રેકટર ચાલક અકસ્માત બાદ ટ્રેકટર મુકી નાસી ગયો હતો. નલીયા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી  હાથ ધરી હતી

 રૂા. 43,480ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી માનકુવા પોલીસ

copy image સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાતમીના આધારે માનકૂવા પોલીસે   ટુ-વ્હીલરથી ભારાપરથી પોતાના ગામ નારાણપર આવી રહેલા શખ્સને  માદક પદાર્થ ગાંજો 987 ગ્રામ સાથે પકડી પાડયો હતો. આ માલ તેણે લુણીની મહિલા પાસેથી લીધાનું કહ્યું હતું. આ અંગે માનકૂવાના પી.આઇ. ડી.એન. વસાવા ફરિયાદી બની નોંધેલી ફરિયાદ અનુસાર માનકૂવા પોલીસના સર્વેલન્સ સ્ટાફને  મળેલી બાતમીના આધારે પંચોને સાથે રાખી દરોડો પાડતા નારાણપર ગામના બસ સ્ટેશનથી ભારાપર જતા રસ્તે બાતમીવાળી ટુ-વ્હીલર  દેખાતાં તેને ઊભી રખાવી ડીકી ખોલાવતાં તેમાંથી 987 ગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કિં. રૂા. 9,870 મળી આવ્યો હતો. આ બાદ માનકૂવા પોલીસે આ માદક પદાર્થ ગાંજા સાથે ઝડપાયેલા આરોપી  ની તપાસ લેતાં તેની પાસેથી ગાંજા ઉપરાંત એક મોબાઇલ જેની કિં. રૂા. 3000 અને રોકડા રૂા....

 તીક્ષણ હથિયાર વડે કોઈ બદમાશે  નંદી ઉપર  હુમલો  કરતા લોહીલુહાણ નંદીની ગૌસેવકોએ સારવાર કરાવી 

ગરડા પંથક વિસ્તારમાં વાયોરથી છ કિલોમીટર ખારોઈ ગામની સીમમાં કોઈ બદમાશે  નંદી ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા લોહીલુહાણ નંદીની ગૌસેવકોએ સારવાર કરાવી હતી. નંદી પર હુમલાની વાયોર ગૌસેવા સમિતિના કાર્યકરોને જાણ થતાં તેઓ બનાવ સ્થળે જઈ વાયોર સરહદ દૂધ ડેરીના ડોક્ટરોને ફોન કરતાં તેઓએ તાત્કાલિક ધોરણે આવીને નંદીને સારવાર આપી હતી. વાયોર ગૌસેવા સમિતિના કાર્યકરો ગાયોને નિત્ય ઘાસચારો, ઘાયલ પશુઓની સારવાર કરતાં હોય છે, તેમને વાયોર સરહદ ડેરી દ્વારા પૂરેપૂરો સહયોગ આપવામાં આવે છે તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા પણ પૂરતો સહયોગ મળતો રહે છે, પરંતુ આ મૂંગા પશુઓ પર અવાર-નવાર અત્યાચાર થતાં રહે છે, જે ન થવા જોઈએ, એવું જણાવી આ બનાવને વાયોર સમસ્ત હિન્દુ સમાજ તેમજ વાયોર ગૌસેવા સમિતિ દ્વારા નિંદા કરવામાં આવી હતી.