Kutch

જન્મ વખતે આપવામાં આવતી BCG રસી,માસ્કનો ઉપયોગ કે ટીબીના ચેપની તપાસ તથા ટીબી અટકાયતી સારવારથી આ રોગ મહદ અંશે અટકાવી શકાય 

દર વર્ષે ૨૪ માર્ચના દિવસે દુનિયામાં ગંભીર રોગો પૈકી એક એવા ટીબી રોગને નિર્મૂળ કરવાના અડગ નિર્ધારને પુન:દોહરાવવા માટે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સદીઓ જુનો રાજરોગ ગણાતા ટીબી(ક્ષય) ના હજી પણ દર વર્ષે આખી દુનિયામાં એકાદ કરોડ દર્દી નવા ઉમેરાય છે અને તે પૈકી ૪ થી ૫ લાખ વ્યક્તિઓ દર વર્ષે મૃત્યુ પામે છે જેની ઘણા દેશો પર આર્થિક અને સામાજિક માઠી અસર થાય છે. આ વર્ષ નું વર્લ્ડ ટીબી દિવસ નું થીમ છે “ YES, WE CAN END TB; Lead by contries,powered by people”.કોરોના મહામારીને પગલે ગત અમુક વર્ષોમાં ટીબીને ડામવાના આપણા પ્રયત્નો માં આવેલી ખોટને છેલ્લા બે-ચાર વર્ષોમાં ફરી અથાક પ્રયત્નો કરી પૂરી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આવનારા વર્ષોમાં આનું પૂરેપૂરું વળતર મેળવવા રાષ્ટ્રીય કક્ષાએથી લીડ રોલ નિભાવી અને રાજ્યથી માંડી ગ્રામ્યકક્ષાએ તમામ લોકોની કટીબધ્ધતા , એના માટે ન માત્ર આર્થિક પરંતુ વૈચારિક અને સામાજિક પ્રયત્નો ખુબ જરૂરી છે.  તે આ સૂત્રથી આપણી ટીબીના અંતનો સંકલ્પ મજબૂત બને છે. વિશ્વના ચોથા ભાગના દર્દીઓ આપણા દેશમાં હોવાનો વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં SDG (SUSTAINABLE DEVELOPMENT GOALS)અંતર્ગત આ રોગ નિર્મૂલન કરવાની નેમ છે.  આપણે ગ્લોબલ ટીબી રીપોર્ટ મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં અન્ય દેશો(૭-૮%) ની સરખામણી એ બમણો ઘટાડો ૧૫-૨૦% આ રોગની વ્યાપકતામાં નોંધાયો છે ટીબીનો દર્દી ખાંસી કે છીંક ખાય ત્યારે ફેલાતા માયકો બેક્ટેરિયાથી થતો ટ્યુબર ક્યુલોસીસ  હવા દ્વારા ફેલાતો ચેપી અને લાંબો સમય ચાલતો અને મોટા ભાગે ફેફસાને અસર કરી નબળો પાડતો રોગ છે.  સમાજ સમક્ષ આ રોગના મુખ્ય સુત્રધાર એવા આ બેક્ટેરિયાની...

ક્રિશિવ ફાઉન્ડેશન દ્વારા ૧૭૫ મહિલાને એવોર્ડ એનાયત કરાયા

ક્રિશિવ ફાઉન્ડેશન દ્વારા ૧૭૫ મહિલાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જે અંગે કચ્છ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ એવા પારુ રમેશ...

આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે વૈવિધ્યસભર સ્થાનિક અને લુપ્ત થતી જાતોનું સંરક્ષણ અને સંવર્ધન અંગે બીજ મેળાનું આયોજન

૨૧ માર્ચ -૨૦૨૬ ના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા ટાઉન હોલભુજ ખાતે બીજ મેળાનું આયોજન કરવામાં...

ભુજની સંસ્કૃત પાઠશાળા ખાતે ઈદની ઉજવણી કરાઈ

ભુજની સંસ્કૃત પાઠશાળા ખાતે ઇદને અનુલક્ષી ને યુનુસભાઇ ખત્રી, સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા, તેમજ માલસીભાઇ માતંગ નું પાઠ...

ભુજ નુતન સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌ માતાના લાભાર્થે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર ખાતે ૪૦૧ પોથી સાથે કથા નો પ્રારંભ

ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોનાં મૃત્યર્થે તથા ગૌ માતના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞ યોજાશે. 401 પોથી...

કચ્છમાં સતત ચોથા દિવસે માવઠાની અસર

બપોર બાદ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન કોટડા, રેહા, હાજાપર અને હરુડી સહિતના ગામોમાં ઝરમર વરસાદ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ...

“બળદિયા જળાશયમાં મલમૂત્રયુક્ત દૂષિત પાણીનો ત્રાસ યથાવત – 12 મહિનાથી રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય!”

વિશ્વ જળ દિવસના અવસરે બળદિયા ગામના જળાશય સાથે સંકળાયેલ એક ગંભીર અને ચિંતાજનક મુદ્દો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા...

ભુજ અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જુબેલી ખાતે પાંચસો ચકલી ઘર, અઢીસો ફૂટ ફીડર, બસ્સો પાણીના કુંડા નો વિતરણ

આધુનિક યુગમાં વધતી જતી કોન્ક્રીટ વસાહતો, મોબાઈલ ટાવરો અને વધુ પડતો જીવજંતુનાશક દવાઓના ઉપયોગના કારણે પશુ પક્ષીનું જીવન દુષ્કર થઈ...

ભુજ તાલુકાના નાના રેહા ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ

વિશ્વ ચકલી દિવસની ઉજવણી પ્રસંગે ભુજ તાલુકાની શ્રી નાના રેહા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ૩૦૦ જેટલા ચકલી ઘર  (મૈત્રીભાવ ગ્રુપ...