જન્મ વખતે આપવામાં આવતી BCG રસી,માસ્કનો ઉપયોગ કે ટીબીના ચેપની તપાસ તથા ટીબી અટકાયતી સારવારથી આ રોગ મહદ અંશે અટકાવી શકાય
દર વર્ષે ૨૪ માર્ચના દિવસે દુનિયામાં ગંભીર રોગો પૈકી એક એવા ટીબી રોગને નિર્મૂળ કરવાના અડગ નિર્ધારને પુન:દોહરાવવા માટે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સદીઓ જુનો રાજરોગ ગણાતા ટીબી(ક્ષય) ના હજી પણ દર વર્ષે આખી દુનિયામાં એકાદ કરોડ દર્દી નવા ઉમેરાય છે અને તે પૈકી ૪ થી ૫ લાખ વ્યક્તિઓ દર વર્ષે મૃત્યુ પામે છે જેની ઘણા દેશો પર આર્થિક અને સામાજિક માઠી અસર થાય છે. આ વર્ષ નું વર્લ્ડ ટીબી દિવસ નું થીમ છે “ YES, WE CAN END TB; Lead by contries,powered by people”.કોરોના મહામારીને પગલે ગત અમુક વર્ષોમાં ટીબીને ડામવાના આપણા પ્રયત્નો માં આવેલી ખોટને છેલ્લા બે-ચાર વર્ષોમાં ફરી અથાક પ્રયત્નો કરી પૂરી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આવનારા વર્ષોમાં આનું પૂરેપૂરું વળતર મેળવવા રાષ્ટ્રીય કક્ષાએથી લીડ રોલ નિભાવી અને રાજ્યથી માંડી ગ્રામ્યકક્ષાએ તમામ લોકોની કટીબધ્ધતા , એના માટે ન માત્ર આર્થિક પરંતુ વૈચારિક અને સામાજિક પ્રયત્નો ખુબ જરૂરી છે. તે આ સૂત્રથી આપણી ટીબીના અંતનો સંકલ્પ મજબૂત બને છે. વિશ્વના ચોથા ભાગના દર્દીઓ આપણા દેશમાં હોવાનો વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં SDG (SUSTAINABLE DEVELOPMENT GOALS)અંતર્ગત આ રોગ નિર્મૂલન કરવાની નેમ છે. આપણે ગ્લોબલ ટીબી રીપોર્ટ મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં અન્ય દેશો(૭-૮%) ની સરખામણી એ બમણો ઘટાડો ૧૫-૨૦% આ રોગની વ્યાપકતામાં નોંધાયો છે ટીબીનો દર્દી ખાંસી કે છીંક ખાય ત્યારે ફેલાતા માયકો બેક્ટેરિયાથી થતો ટ્યુબર ક્યુલોસીસ હવા દ્વારા ફેલાતો ચેપી અને લાંબો સમય ચાલતો અને મોટા ભાગે ફેફસાને અસર કરી નબળો પાડતો રોગ છે. સમાજ સમક્ષ આ રોગના મુખ્ય સુત્રધાર એવા આ બેક્ટેરિયાની...