Breaking News

Crime News

Election 2022

આધાર-પુરાવા વગર ચોરી-છળકપટથી મેળવેલ ગેસના બાટલાઓ સાથે આરોપીને ઝડપી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ અને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર...

પડાણામાં યુવાને ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો

copy image ગાંધીધામ,તાલુકાના પડાણામાં રહેનાર  યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પડાણામાં હનુમાન  મંદિર પાસે રબારીવાસમાં રહેનાર લક્ષ્યધર(ઉ.વ. 35) એ અંતિમ પગલું ભરી લીધું હતું.  પરપ્રાંતીય  એવો આ શ્રમિક  યુવાન  પોતાની રૂમ ઉપર હતો. દરમ્યાન પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેણે  કેવા કારણોસર આપઘાત કર્યો હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી. 

મોટી ખોંભડીમાં 255 કોરીમાં ખરીદાયેલા વરંડા મુદ્દે મહત્ત્વનો ચુકાદો આવ્યો

copy image નખત્રાણા તાલુકાના મોટી ખોંભડીમાં 255 કોરીમાં ખરીદાયેલા વરંડાના મુદ્દે નખત્રાણાની અધિક સિવિલ કોર્ટે દાવો લાવનારની તરફેણમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો . કેસની ટૂંકી વિગત મુજબ મોટી ખોંભડીમાં આશરે 500 વારના  પ્લોટનો  વરંડો સ્વ. ઠક્કર દેવકરણ વેલજી શેઠિયાએ ગામના મૂળ જાગીરદાર જાડેજા મુરવાજી પેટવાલાના વારસદારો પાસેથી કચ્છ રાજના ચલણની 255 કોરીમાં વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યો હતો. દેવકરણ શેઠિયાનાં નિધન બાદ વરંડાનો કબજો - ભોગવટો તેમના વારસદારોના કબજા - ભોટવટામાં હતો, જો કે, તેમની જાણ બહાર અમુક શખ્સોએ વરંડાનો બોગસ દસ્તાવેજ બનાવી રજિસ્ટર કરાવ્યા હતા, જે બાબતે વારસાદારો દ્વારા દીવાની દાવો કરાયો હતો. આ કેસ નખત્રાણા અધિક સિવિલ જજની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તમામ દસ્તાવેજી પુરાવાઓ તથા લેખિત-મૌખિક દલીલોના આધારે બોગસ દસ્તાવેજો  બિનઅધિકૃત હોવાનું ઠરાવી રદબાતલ કર્યા હતા અને જમીન પર પ્રતિવાદીઓ દ્વારા કોઈ પણ પ્રકારનાં બાંધકામ કે વેચસાટ ન કરવાનો અને કબજો દાવો લાવનારાને આપવા ધાક બેસાડતો આદેશ  કર્યો હતો. આ કેસમાં વાદીના  વકીલ તરીકે  એમ.આર. હાર્ષ અને તેમની ટીમ હાજર રહી હતી.

બે પરિણીતા સાથે દુષ્કર્મ થતાં ફરિયાદ નોંધાઈ

copy image ભુજ તાલુકાના ખાવડા બાજુના એક ગામની યુવા પરિણીતા તથા નખત્રાણાની પરિણીતા સાથે દુષ્કર્મ  થતાં  બે ફરિયાદ નોંધાઇ હતી . ખાવડા પોલીસ મથકે યુવા પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ  આરોપી  હારૂન  અબડા સમા (રહે. મોટા પૈયા ખાવડા)એ ફરિયાદીના ઘરે રાતે આવી લલચાવી-ફોસલાવીને વિશ્વાસમાં  લઇ  ફરિયાદી  સાથે શારીરિક સંબંધ બાંધી, ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી અને છરી બતાવી વારંવાર  બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યાની ફરિયાદી નોંધાઇ હતી . જ્યારે નખત્રાણા પોલીસ મથકે અન્ય પરિણીતાએ  નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી અનવર મામદ નોતિયાર (રહે. ઘડાણી તા. નખત્રાણા)એ ફરિયાદીને છરી  બતાવી તેના દીકરા તથા પતિને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ફરિયાદીનું અપહરણ કરી ...

ખારીરોહરમાં મકાનમાં ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ 

copy image ગાંધીધામ ખારીરોહર ગામમાં ચાલતા જુગારના અડ્ડાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. એક મકાનમાંથી  પોલીસે પાંચ  મહિલા ખેલી સહિત છ લોકોની ધરપકડ  કરી રૂા. 1,22,140 જપ્ત  કર્યા હતા. ખારીરોહરમાં મહાદેવ મંદિર પાસે  રહેનાર  હનીફ અબ્દુલ પરાર નામનો શખ્સ પોતાના ઘરે બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી નાલ ઉઘરાવતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. પોલીસ તા. 2/7ના વોરંટ મેળવી કાર્યવાહી કરવાની હતી  પરંતુ આ જુગારીઓ સાંજ થતાં ઊઠી ગયા હોવાનું બાતમીદારે કહ્યું હતું. બીજા દિવસે તા. 3/7ના પણ જુગારના પડ  મંડાતાં પોલીસે છાપો માર્યો હતો. ખારીરોહરના આ મકાનમાંથી હનીફ અબ્દુલ પરાર સાથે ગાંધીધામ સેક્ટર-6ના લક્ષ્મીબેન રતન મહેશ્વરી, ભૂકંપનગર કિડાણાના રહેમતબેન ઓસમાણ ઇબ્રાહિમ મથડા, મણિનગર ઝૂંપડા આદિપુરના ગોરબાઇ મનજી નાથા વિંજોડા, શાંતાબેન મેઘજી ભોજા બારોટ તથા સોનબાઇ નારાણ ભચુ બારોટને પકડી પાડવામાં આવ્યા હતા. ગઇકાલે સૂર્યાસ્ત થઇ ગયો હોવાથી મહિલાઓને નોટિસ પાઠવી જવા દેવાઇ હતી જ્યારે હનીફની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 1,22,140 તથા ગંજીપાના હસ્તગત કર્યા હતા.

ચકચારી ભચાઉ હત્યાના પ્રયાસ, શરાબના કેસમાં પોલીસ ઈસમોને લઈને રાજસ્થાન જશે

copy image ભચાઉ નજીક પોલીસ ઉપર કાર ચડાવવા અને દારૂના પ્રકરણમાં પકડાયેલા બુટલેગર અને મહિલા પોલીસકર્મીને  દારૂ પ્રકરણમાં રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમ્યાન હત્યાની કોશિશના કેસમાં બુટલેગરના જામીન નકારી દેવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા ભચાઉ નજીક બનેલા પ્રકરણમાં ફરજમોકૂફ કરાયેલા મહિલા પોલીસકર્મીને  જામીન અપાયા બાદ  પોલીસે નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહને દારૂના બનાવ સંબંધે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા દશ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા અને બંનેના સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. બુટલેગર યુવરાજસિંહ વિરુદ્ધ 16થી વધુ દારૂના ગુના, શરીર સંબંધી ગુના, નીતા ચૌધરી કાયદાના જાણકાર, તેમને પાસેથી જપ્ત કરાયેલ દારૂની બોટલો ઉપર ફોરસેલ ઈન રાજસ્થાન ઓન્લી ફોર ગુજરાત લખેલું છે. બંને પાસે પરમિટ નથી,  જેથી બનાવના મૂળ સુધી જવા માટે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. દારૂનો આ જથ્થો નીતા ચૌધરી આબુ રોડ બાજુથી લાવી હતી. આ બંને ત્યાંથી કઈ-કઈ હોટેલમાં ગયા હતા કે તેમની  સાથે અન્ય  કોઈ  હતું કે નહીં  આબુ રોડ બાજુ કઈ જગ્યાએથી દારૂ ખરીદવામાં આવ્યો હતો, તે સહિતની વિગતો માટે બંનેની હાજરી  જરૂરી  હોવાથી રિમાન્ડની  માંગ કરાઈ હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશ ડી.એસ. ડાભીએ આ બંને આરોપીના તા. 6/7 ના બપોરે ચાર વાગ્યા સુધીના એટલે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેમાં સરકાર તરફે સરકારી વકીલ બિપિન વિઠ્ઠલાણીએ રજૂઆત કરી હતી. દરમ્યાન હત્યાની કોશિશના કેસમાં બુટલેગર એવા યુવરાજસિંહએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી, જેમાં બંને પક્ષને સાંભળ્યા બાદ આ શખ્સની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. બનાવ અંગે પી.આઈ. એસ.ડી. સિસોદિયાએ જણાવ્યું હતું કે, જે વાહનમાંથી બંને ઝડપાયા હતા તે વાહનના માલિકને બોલાવી પૂછપરછ હાથ ધરવામાં આવશે. પકડાયેલા બંને આરોપીને સાથે રાખીને પોલીસ રાજસ્થાન જશે તેવું પણ જાણવા મળ્યું હતું. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બાદ બહાર લાવતાં બંને ખુલ્લા થઈને પોલીસ વાહન બાજુ જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, જ્યારે અન્ય આરોપીઓને પોલીસ પકડી લઈ જઈને વાહનમાં બેસાડતી હોવાનું સૂત્રો દ્વારા  જણાવા મળ્યું હતું.