અંજારના સોની વેપારી યુવાનનો રેલવે સ્ટેશને ઝેરી દવા ગટગટાવી આપઘાત
copy image અંજારની મચ્છીપીઠ વિસ્તારમાં થોડા મહિનાઓ પહેલાં બંગાળી કારીગરે કરોડોનું ફુલેકું ફેરવ્યાની ઘટનામાં અંજારના યુવા સોની વેપારીએ અંદાજે એક...
copy image અંજારની મચ્છીપીઠ વિસ્તારમાં થોડા મહિનાઓ પહેલાં બંગાળી કારીગરે કરોડોનું ફુલેકું ફેરવ્યાની ઘટનામાં અંજારના યુવા સોની વેપારીએ અંદાજે એક...
copy image ગાંધીધામ પોલીસે સુંદરપુરી ત્રણ રસ્તેથી દારૂનો જથ્થો તથા ત્રણ આરોપી પકડી પાડ્યા હતા. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં...
copy image અંજાર તાલુકાના મેઘપર બોરીચીની એક સોસાયટીમાં રહેનારી યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારાતાં અંજારના શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મેઘપર બોરીચીની લીલાશાહ કુટિયા નજીક આવેલી એક સોસાયટીમાં રહેનારી યુવતી છેલ્લા છ મહિનાથી આ બનાવનો ભોગ બની હતી. અંજારની યમુના પાર્ક સોસાયટીમાં રહેનારા શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરી કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
copy image કોડકી નજીક થોડા દિવસ પેલા શુક્રવારના રાતના કોડકીની મહિલાઓ ધાર્મિક પ્રસંગ પતાવી પગે જતી મહિલાઓને ઇકો ગાડીએ હડફેટે લઇ તેઓને ફંગોળી દેતાં તેમાં ગંભીર રીતે ઘવાયેલા મહિલાનુંનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું . આ કરુણ બનાવની વિગતો મુજબ 14મીના રાતે ધાર્મિક પ્રસંગ બાદ પાંચ મહિલાઓ પરત ઘરે જતી વેળાએ કોડકી બાજુથી પૂરપાટ આવતી ઇકો ...
copy image ગાંધીધામના સેક્ટર-7 વિસ્તારમાં સ્વાદ વગરનું જમવાનું કેમ બનાવ્યું તેમ કહી એક શખ્સે પોતાની પત્નીને માર મારતાં મહિલાના કાનનો પડદો ફાટી ગયો હતો. ગાંધીધામના સેક્ટર-7 વિસ્તારમાં લુક્સ બ્યૂટી કેર નામનું પાર્લર ચલાવતા અને તિરુપતિ ટાવર બિલ્ડિંગમાં રહેનાર મહિલા રી ગત તા. 16/6ના પોતાના ઘરે હતા ત્યારે મહિલાનો પતિ ઘરે આવતાં મહિલાએ તેને જમવાનું પીરસ્યું હતું, જેમાં સ્વાદ વગરનું જમવાનું કેમ બનાવ્યું છે તેમ કહી આ શખ્સે પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ઉશ્કેરાઇ જઇ તેમને માર મારી દરવાજામાં ભટકાવ્યો હતો. મારામારીના બનાવમાં ઘવાયેલ મહિલા સારવાર અર્થે જતાં તેમના ડાબા કાનના પડદામાં કાણું પડી ગયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .
copy image મુંદરામાં યુવાન ઘરે પંખામાં જ્યારે નખત્રાણાના મોટી વિરાણીમાં યુવક જોગીએ અને મુંદરા તાલુકાના મોટી ખાખરમાં પરિણીતાએ ઝાડમાં લટકીને પોતાના જીવ દીધા હતા. બીજી તરફ મૂળ પીલુડી તાલુકો-જિલ્લો મોરબી હાલે મુંદરાના મોટા કપાયાના યશપાલ નગરમાં રહેતા યુવાન બપોરના 12.45 વાગ્યા પહેલા કોઈ પણ સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત નખત્રાણા તાલુકાના મોટી વિરાણીમાં રહેતા યુવકએ બપોરથી સાંજ દરમ્યાન કોઈ અકળ કારણે રતનબાપાની વાડી પાસે આવેલી પાણીની ટાંકીની બાજુમાં મીઠીજારના ઝાડમાં કપડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવક...
copy image માંડવીના બે યુવાન દીવના નાગવા નજીક આવેલા દરિયાકિનારે બેઠા હતા, ત્યાં દરિયાના મોજાંની ઝપટમાં આવી જતાં બંને યુવાન પાણીમાં ખેંચાઇ ગયા હતા, જેમાં માંડવીના રહેનાર શખ્સનાં પુત્ર તથા તેનો મિત્ર સાથે હતા. દરિયાકિનારે ઉપસ્થિત તરવૈયાઓએ કોઇ ડૂબતું હોય તેવું લાગતાં તરત બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, જેમાં એક યુવાનને બહાર કાઢવામાં સફળતા મળતાં તેનો જીવ બચી ગયો હતો. જો કે, માથા અને પીઠમાં ઇજાઓ થઇ હતી, જ્યારે એક યુવાનનો આ લખાય છે ત્યાં સુધી પતો લાગ્યો નથી. ઉપરોક્ત બનાવ તા. 18/6ના સાંજના...
copy image સબંધના નાતે કરાયેલી નાણાકીય સહાયના બદલ અપાયેલો ચેક પરત ફરવાના કેસમાં ગાંધીધામની જ્યુડિશિયલ કોર્ટે આપેલો સજા તથા વળતરનો આદેશ સેશન્સ કોર્ટે રદ કરી આરોપીને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. ફરિયાદીએ આરોપી ટાંકને રૂા. 7 લાખ આપ્યા હતા, જેના પેટે અપાયેલો ચેક પરત ફર્યો હતો. આ કેસમાં જ્યુડિશિયલ કોર્ટે 18 માસની સજા અને ચેકની રકમ વળતર પેટે આપવાનો હુકમ કર્યો હતો, જેની સામે આરોપીએ ગાંધીધામની સેશન્સ કોર્ટમાં ધા નાખી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નીચલી અદાલતનો હૂકમ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુકતો આદેશ કર્યો હતો.
copy image વાગડમાં ખુલ્લેઆમ થતી વીજચોરીને ડામવા વડોદરા અને રાજકોટની અલગ અલગ પંદર ટીમોએ રાપર અને ગામડાઓમાં ચેકિંગ હાથ ધરતાં લાખોની વીજચોરી ઝડપી પાડી હતી. રાપર, ત્રંબૌ, રામવાવ, ભરૂડીયામાં ચેકિંગ હાથ ધરતાં ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાંથી કનેક્શન લઈ વીજચોરી કરતાં તત્વોને પકડી ઝડપી પાડ્યા હતા. સત્તાવાર રીતે બારથી તેર લાખની વીજચોરી પકડાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ બિનસત્તાવાર આ આંકડો કરોડને પાર કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તો ત્રંબૌમાં આ ચેકિંગ ટીમો પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાત ઊર્જા વિકાસ નિગમની ટીમોએ ચેકિંગ અર્થે કચ્છમાં ધામા નાખ્યા છે અને પૂર્વ કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં તપાસ હાથ ધરતાં વીજચોરી કરતાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. દરમ્યાન . સૂત્રો દ્વારા...
copy image રાપર તાલુકાના ત્રંબૌ ગામમાં આવેલા મુંબઈગરાના એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી 15,800ની મતા ઊઠાવી ગયા હતા. નવા ત્રંબૌમાં રહેનારા ફરિયાદ છેલ્લા 45 વર્ષથી મુંબઈમાં રહી ગાદલાંની દુકાન ચલાવતા હતા. છેલ્લા એકાદ વર્ષથી નિવૃત્ત જીવન ગાળતા હોવાનું બહાર આવ્યું હતું. ત્રંબૌમાં આવેલા તેમના મકાનમાં ગત તા.9/5થી 11/6ના અરસામાં ગમે ત્યારે તસ્કરોએ ખાતર પાડયું હતું. આ મકાનમાં ભાડે રહેતા શખ્સ પોતાના વતન ગયા બાદ પરત આવતાં મકાનમાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. આ બંધ પડેલાં મકાનમાં કોઈ રીતે તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદર રૂમમાં કબાટમાંથી રોકડ રૂા.10,000 તથા માળિયાં ઉપર રાખેલી વીજ મોટર તેમજ એરકૂલર, પંખો, બાથરૂમમાંથી ગીઝર, નળ, ફુંવારા વગેરે મળીને કુલ રૂા. 15,800ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. પૂર્વ કચ્છમાં વધતા જતા ચોરીના બનાવોથી સ્થાનિક લોકોની સાથે હવે મુંબઈગરાઓમાં પણ ભયની લાગણી પ્રસરી હતી. અત્રે નોંધનીય છે કે, થોડાક દિવસો પેલા પણ ગામમાં એકી સાથે અનેક મુંબઈગરાના બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ઘરવખરીની ચોરી કરી ગયાના બનાવ બન્યા સામે આવ્યા હતા.